બાબા વેંગાની ભવિષ્યવાણી માનીએ તો ૨૦૨૩ માં હલી જશે ધરતી, લોકો થઇ જશે બરબાદ! જાણો

બલ્ગેરિયાના ભવિષ્યવક્તા બાબા વેંગા તેમની ભવિષ્યવાણીઓ માટે વિશ્વભરમાં જાણીતા છે. તેમણે વર્ષ ૨૦૨૩ માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. બાબા વેંગાની ભવિષ્યવાણીમાં ચેતવણી આપવામાં આવી છે કે વર્ષ ૨૦૨૩ માં એક વિનાશક સૌર વાવાઝોડું આવશે જે મોટી તબાહીનું કારણ બની શકે છે.

વિશ્લેષકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે એલિયન્સ દ્વારા પૃથ્વી પર હુમલા થશે. તેઓ માને છે કે પૃથ્વી પર એલિયન્સના હુમલાને કારણે ઘણું નુકસાન થવાની સંભાવના છે.

બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વિનાશક સૌર વાવાઝોડા દરમિયાન સૂર્યમાંથી નીકળતી ઊર્જાના વિસ્ફોટથી નીકળતા ખતરનાક રેડીએશન પૃથ્વી પર પડશે. જે અબજો પરમાણુ બોમ્બ જેટલા વિનાશક હોઈ શકે છે.

બાબા વેંગાની ભવિષ્યવાણીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ અન્ય ગ્રહથી આવનારી શક્તિઓ ધરતી પર હુમલો કરી શકે છે. જેમાં લાખો લોકો મરી શકે છે.

બાબા વેંગા કોણ હતા: બાબા વેંગાનો જન્મ ૧૯૧૧ માં થયો હતો. તેમણે બાળપણમાં દાવો કર્યો હતો કે ૧૨ વર્ષની ઉંમરે તે એક મોટા તોફાન દરમિયાન રહસ્યમય રીતે તેમની દ્રષ્ટિ ગુમાવશે.

તે પછી તેમને ભવિષ્યમાં જોવા માટે ભગવાન તરફથી એક દુર્લભ ભેટ મળી. બાબા વેંગાનું ૧૯૯૬ માં અવસાન થયું છે પરંતુ તેમણે જતા પહેલા ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)