આ દિશામાં મોઢું રાખીને ભૂલથી પણ ના કરો ભોજન, ઘરમાં પ્રવેશી જશે દરિદ્રતા.. જાણી લો નિયમ

શું તમે જાણો છો કે ભોજન પરોસવાના અને ખાવાના ખાસ નિયમો છે. તમે કદાચ તેના વિશે જાણતા ના હોય પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેના વિશે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. કહેવાય છે કે જે વ્યક્તિ આ વાસ્તુ નિયમોની અવગણના કરીને ભોજન કરે છે તેની દશા જાનવરો જેવી થાય છે અને અંતે તેને પણ તે જ ફળ મળે છે. આજે અમે તમને ભોજન સંબંધિત એવા જ ઘણા વાસ્તુ નિયમો વિશે જણાવીએ છીએ જેને જાણીને તમે પણ તમારું જીવન સારું બનાવી શકો છો.

ભોજન સંબંધિત આ વાતોનું રાખો ખાસ ધ્યાન: પ્રથમ કોળીયો બહાર કાઢો અને તેને બાજુ પર રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે પણ તમે ભોજન કરો ત્યારે થાળીમાંથી પહેલો કોળીયો કાઢીને બાજુ પર રાખો. તમે તમારું ભોજન સમાપ્ત કરી લો ત્યાર પછી બાકીનો પ્રથમ કોળીયો પ્રાણીઓ, પક્ષીઓ અને કીડીઓને ખવડાવો. તેમ કરવાથી દેવી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે.

એઠી થાળીમાં ના ખાઓ ભોજન: ભોજન કરતી વખતે તમે એક જ થાળીમાં ખોરાક ખાઈ શકો છો પરંતુ જો કોઈ વ્યક્તિ પહેલેથી જ ખાય છે તો તેની એઠી થાળીમાં ક્યારેય ખાવું નહીં. તેમ કરવાથી માતા અન્નપૂર્ણા ક્રોધિત થાય છે જેની આડ અસર આર્થિક સંકટના રૂપમાં ભોગવવી પડે છે.

જમણી બાજુએ પાણીથી ભરેલો ગ્લાસ રાખો: વાસ્તુ નિયમો અનુસાર ભોજન શરૂ કરતી વખતે હંમેશા પ્લેટની જમણી બાજુએ પાણીથી ભરેલો ગ્લાસ રાખો. તેનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગના લોકો તેમના જમણા હાથથી કામ કરવાનું પસંદ કરે છે તેથી જ્યારે તેમને તરસ લાગે ત્યારે પાણી ભરેલો ગ્લાસ ઉઠાવવો તેમના માટે સરળ છે. સાથે જ તે સારા નસીબ લાવે છે.

આ દિશામાં મોઢું રાખીને ભોજન ના કરવું: શાસ્ત્રો અનુસાર ભોજન કરતી વખતે ભૂલથી પણ તમારું મોઢું દક્ષિણ તરફ ના હોવું જોઈએ. તે દિશાને મૃત્યુના દેવતા યમરાજ અને મૃતકોની માનવામાં આવે છે. એટલા માટે તે દિશામાં ખાવાનું ટાળો. તેના બદલે તમારે પૂર્વ અથવા ઉત્તર તરફ મોઢું રાખીને ભોજન કરવું જોઈએ. તે તમને સકારાત્મક ઉર્જા આપે છે.

ભૂલથી પણ એઠી થાળીમાં હાથ ના ધોવા: ભોજન કર્યા પછી થાળીમાં ક્યારેય હાથ ના ધોવો. વાસ્તુ નિયમોમાં તેવું કરવું અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેમ કરવાથી ઘરની સુખ- સમૃદ્ધિ જાય છે અને પરિવાર પૈસાથી ગરીબ બની જાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)