જન્માષ્ટમી: સપનામાં દેખાઈ જાય ભગવાન શ્રીકૃષ્ણ તો થાય છે આવી ઘટના, બદલાઈ જાય છે જિંદગી!

સપનામાં આપણે અનેક પ્રકારની વસ્તુઓ જોઈએ છીએ, જેના સંકેતો સ્વપ્ન શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા છે. તેમાંથી કેટલાક સપના શુભ હોય છે તો કેટલાક અશુભ હોય છે. આજે જન્માષ્ટમીના અવસર પર આપણે જાણીએ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા કેટલાક સપનાઓનો અર્થ.

જો સ્વપ્નમાં ભગવાન કૃષ્ણ આ રૂપમાં દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત હોય છે. આવા સપના બદલી શકે છે જીવન.  ત્યારે આ વર્ષે ૭ સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો તહેવાર છે તો આવો જાણીએ સ્વપ્નમાં ભગવાન કૃષ્ણના દેખાવાનો અર્થ-

સ્વપ્નમાં ભગવાન કૃષ્ણને જોવુંઃ સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો સ્વપ્નમાં ભગવાન કૃષ્ણ દેખાય છે, તો વિશ્વાસ કરો કે તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ દસ્તક આપવા જઈ રહી છે. તમને એક પછી એક સફળતા મળશે અને તમે ઘણી પ્રગતિ કરશો.

વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય હોય છે. શ્રી કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા હતા ત્યારે ગોપીઓ ઝૂમી ઉઠતી હતી. સ્વપ્ન શાસ્ત્રો અનુસાર, જો તમે સ્વપ્નમાં કૃષ્ણને વાંસળી વગાડતા જોશો તો તે ખૂબ જ શુભ છે. તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં અપાર સુખ અને પુષ્કળ પૈસા આવવાના છે. હવે તમે જીવનભર બંસી વગાડશો અને આરામથી જીવશો.

જો સ્વપ્નમાં ભગવાન કૃષ્ણ તેમની ગોપીઓ સાથે દેખાય છે, તો માની લો કે તમે તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરવા જઈ રહ્યા છો. મિત્રોનો સહયોગ તમારા જીવનના દુ:ખ દૂર કરશે. તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)