દશેરાના દિવસે કરી લો નારિયેળનો આ ઉપાય, કોઈ નહીં રોકી શકે અમીર બનતા

સનાતન ધર્મમાં નારિયેળને શ્રીફળ કહેવામાં આવ્યું છે. શ્રીફળ એટલે ફળોમાં સર્વશ્રેષ્ઠ ફળ. દરેક પૂજા- પાઠ અને શુભ કાર્યમાં નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ નવું કામ શરૂ કરવું હોય કે કોઈ મહત્વની યાત્રા પર જવું હોય, તો શ્રીગણેશ માત્ર નારિયેળ ફોડીને જ કરવામાં આવે છે. અમીર બનવામાં પણ નારિયેળના ઉપાયો ઘણા કારગત છે અને તેના માટે દશેરાનો દિવસ ખુબજ શુભ છે.

આ યુક્તિ નુકસાનને નફામાં બદલી દેશે: જો ધંધામાં સતત નુકસાન થતું હોય તો દશેરાના દિવસે નારિયેળને સવા મીટર પીળા કપડામાં લપેટી લો. આ નારિયેળને જનોઈ અને સવા પાવ મીઠાઈની સાથે કોઇપણ રામ મંદિરમાં અર્પિત કરી દો/ ધરી દો. આવું કરવાથી ધંધામાં નફો થવા લાગશે.

તો બીજીતરફ પરિવારની ગરીબી દૂર કરવા માટે, દશેરાના દિવસે લક્ષ્મી માતાના મંદિરમાં નારિયેળ, ગુલાબ, કમળના ફૂલો, સવા મીટર ગુલાબી કાપડ, સવા મીટર સફેદ કાપડ, સવા પાવ ચમેલી, દહીં, સફેદ મીઠાઈ અને દેશી ઘી માતાજીને ધરી દો. ત્યારબાદ માતાજીની કપૂર અને દેશી ઘી થી આરતી ઉતારીને શ્રી કનકધારા સ્તોત્રનો જાપ કરો. થોડાક જ દિવસમાં આર્થિક હાલત સારી થવા લાગશે.

અમીર બની રહેવાની યુક્તિ: દશેરાના દિવસે દિવાળીની જેમ ચોકી સજાવો અને ગણેશ જી અને મહાલક્ષ્મી રાખો. આ પછી, ચોખાના ઢગલા પર તાંબાનું કળશ મૂકો. એક નારિયેળને સ્વચ્છ લાલ કપડામાં લપેટીને કળશમાં રાખો. આ પછી બે મોટા દીવા લો. એકમાં ઘીનો દીવો અને બીજામાં તેલનો દીવો પ્રગટાવો.

એક દીવો ચોકીની જમણી બાજુ અને બીજો મૂર્તિના ચરણોમાં મૂકો. સાથે જ ગણેશજી પાસે એક નાનો દીવો રાખો અને નિયમ પ્રમાણે તેમની પૂજા કરો. કામમાં સફળતા મેળવવા માટેની યુક્તિ: લાંબા સમયથી અટવાયેલું કામ પણ આ યુક્તિ કરવાથી પૂર્ણ થઇ જાય છે. આ માટે લાલ સુતરના કપડામાં નારિયેળ લપેટીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. વહેવડાવતી વખતે નારિયેળને સાત વખત તમારી મનોકામના કહો.