ઘરમાં પૈસા રાખવાની જગ્યાએ મૂકી દો આ નાની વસ્તુ, ક્યારેય નહીં થાય ધનની કમી

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે કારણ કે તેઓ જીવનના ઘણા પાસાઓને પ્રભાવિત કરે છે. અશુભ શનિ ધન, માન- સન્માન, સ્વાસ્થ્ય, સંબંધો વગેરે પર ખરાબ અસર કરે છે. તેથી જો જન્મકુંડળીમાં શનિ પરેશાન હોય કે શનિની મહાદશા ચાલી રહી હોય તો શનિની વક્રી દ્રષ્ટિથી રાહત મેળવવા માટે ઉપાય કરવા જોઈએ. શનિના કારણે આવતી આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલા એક ઉપાય ખૂબ જ અસરકારક છે.

ઘોડાની નાળ આપે છે ચમત્કારિક અસર: શનિના પ્રકોપથી બચવા માટે શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય શનિ દોષથી રાહત મેળવવા માટે ઘોડાની નાળને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેથી શનિ દોષથી પીડિત વ્યક્તિને ઘોડાની નાળની વીંટી પહેરવાનું કહેવામાં આવે છે.

ઘર અને દુકાનની બહાર ઘોડાની નાળ લગાવવાની સલાહ આપવામાં આવે છે. તેમ કરવાથી વ્યક્તિની પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે અને શનિના ખરાબ પ્રભાવથી મુક્તિ મળે છે.

ઘોડાની નાળને તિજોરીમાં રાખો: પૈસાની બાબતમાં જો મુશ્કેલી તમારો પીછો ના છોડતી હોય, સતત નુકસાન થતું હોય, આવકમાં અડચણ આવતી હોય તો ઘોડાની નાળનો ઉપાય તમારા માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે.

તેના માટે તમારે તેને ઘરની તિજોરીમાં અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખવી જોઈએ, જેના કારણે તમને ક્યારેય પૈસાની કમી નહીં થાય. આ ઉપાય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે અને ટૂંક સમયમાં તમારી આવક વધવા લાગશે, સાથે જ નુકસાન પણ ઓછું થશે.

આ છે શનિના અશુભ થવાના સંકેતઃ જો કુંડળીમાં શનિ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિના કામકાજમાં ઘણી સમસ્યાઓ આવે છે. વ્યક્તિ વારંવાર પોતાની નોકરી ગુમાવે છે. લાયકાત પછી પણ પ્રમોશન મળતું નથી. આવકમાં અવરોધ આવે. ધંધામાં નુકસાન થાય છે. વ્યક્તિ ખરાબ સંગતમાં પડી જાય છે. તે સાફ- સફાઈથી નથી રહેતો.

તેના નખ, કપડાં ઘણીવાર ગંદા રહેતા હોય છે. તેવી સ્થિતિમાં શનિદેવને ઠીક કરવા માટે વ્યક્તિએ ઘોડાની નાળની વીંટી પહેરવી જોઈએ. સાથે જ એવા કામ કરવા જોઈએ, જે શનિદેવને પ્રિય હોય. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)