જો ઘરમાં દેખાઈ જાય ગરોળી તો તેના પર નાખી દો આ એક વસ્તુ, થશે અપાર ધનવર્ષા, ક્યારેય નહીં ખૂટે ધન….

ગરોળી મોટાભાગના બધાના ઘરે રહેતી જ હોય છે. તે શિયાળા કરતા ઉનાળામાં વધુ દેખાતી હોય છે, કારણકે ગરમીના વાતાવરણમાં તે ઠંડી શોધતી હોય છે. જોકે કેટલાક લોકો ગરોળીને જોઇને ડરી જતા હોય છે પરંતુ તેમને ખબર નથી હોતી કે ગરોળી તેમના માટે કેટલી શુભ હોય છે. શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે. ગરોળીની તો ભારતના કેટલાક મંદિરોમાં પૂજા પણ કરવામાં આવે છે.

આવું જ એક મંદિર શ્રી રંગમ રંગનાથ સ્વામી મંદિર છે, જ્યાં દિવાલો પર ગરોળીનાં ફોટો બનાવવામાં આવેલા છે. તેવું માનવામાં આવે છે કે તે ગરોળીને જોવા માત્રથી ભગવાનના દર્શન કરવા કરતાં બે ગણો લાભ પ્રાપ્ત થાય છે. દરેકના ઘરોમાં જોવા મળતી આ ગરોળી આપણને ભાવિની ઘણી ઘટનાઓ વિશે સંકેત આપતી હોય છે.

શુકન શાસ્ત્ર મુજબ, જો તમે દિવસ દરમિયાન જમતી વખતે ગરોળી જુવો છો તો જલ્દીથી તમને કોઈ સારા સમાચાર મળશે અથવા તમને કોઈ શુભ પરિણામ મળી શકે છે. જો તમે ગરોળીને વાતચીત એટલે કે અવાજ કરતા જુવો છો, તો પછી તમે કોઈ જૂના મિત્રને મળી શકે છે. જો ગરોળી એક બીજાની વચ્ચે લળતી જોવા મળે છે, તો આ કોઈ લડાઈ થવાના સંકેત આપે છે.

જો ગરોળી એકબીજાથી અલગ થઈ ગઈ હોય તો તમે તમારા પ્રિયજનથી અલગ થઈ શકો છો. યરવી સ્થિતિમાં આજે અમે તમને ગરોળીનું ખાસ શુભ પરિણામ જણાવવા જઈ રહ્યા છીએ. તેમ કરવાથી તમે માતા લક્ષ્મી દ્વારા આશીર્વાદ મેળવશો અને તમારા ઘરમાં અપાર વરસાદ થઇ શકે છે.

આ ઉપાય કરવા માટે તમારે જ્યારે તમારા ઘરની દિવાલ પર ગરોળી દેખાય છે તો દૂરથી ગરોળી પર કંકુ- ચોખા નાખવા જોઈએ. આ ઉપાય કરતી વખતે તમારે જે તમારી મનોકામના હોય તે બોલી દેવી. શાસ્ત્રો અનુસાર ગરોળીની પર આ રીતે કંકુ- ચોખા નાખવા અથવા પૂજા કરવાથી સંપત્તિ સંબંધિત સમસ્યાઓ દૂર થતી હોય છે અને સંપત્તિ માટેના નવા માર્ગ ખુલતા હોય છે.

એક માન્યતા અનુસાર જે ઘરમાં ગરોળી રહેતી હોય છે તે ઘરમાં લક્ષ્મીના આશીર્વાદ રહેતા હોય છે, આમ તો ગરોળી દેખતા જ ઘણા લોકો ડરવા લાગે છે, તેને ઘરમાંથી ભગાવવાના પ્રયત્નો કરતા રહે છે, તેના માટે અલગ અલગ દવાઓ અને પાઉડર છાંટતા હોય છે.

જો કે તમે પણ તે બાબતનું ચોક્કસથી ધ્યાન રાખજો અને નોંધ કરજો કે જયારે તમારા ઘરમાં ગરોળી રહેતી હોય ત્યારે તમને ધન સબંધિત કોઈ તકલીફ નહી પડે તેમજ ઘરમાં પૈસાની કમી પણ જોવા નહી મળે, તેથી ઘરમાંથી ગરોળીને ભગાડતા પહેલા આ વિચાર કરી લેજો.