માં લક્ષ્મીની કૃપા માટે ઘરના મુખ્ય દરવાજે બનાવી લો માત્ર આ નિશાન, થશે સુખ- શાંતિનો નિવાસ

વ્યક્તિ ઘરમાં સુખ- શાંતિ અને માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો કરતો હોય છે પરંતુ ઘણી વખત વ્યક્તિના તમામ પ્રયાસો છતાં પણ તેને ઘરમાં સુખ- શાંતિ નથી મળી શકતી. તેવી સ્થિતિમાં વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક નિયમો જણાવવામાં આવેલા છે. જો આ નાના- નાના નિયમો જીવનમાં અપનાવવામાં આવે તો ઘરમાં સુખ- શાંતિ પાછી આવી જાય છે. સાથે જ ઘરમાં માં લક્ષ્મીનો પણ નિવાસ રહે છે.

આ વાસ્તુ ઉપાયો કરીને જીવનમાં આવતા અનેક અવરોધોને સરળતાથી દૂર કરી શકાય છે. તેમ કરવાથી દરેક કાર્યનું શુભ ફળ મળે છે. ચાલો જાણીએ વાસ્તુ અનુસાર ઘરમાં સુખ- સમૃદ્ધિ મેળવવા માટેના આ ઉપાયો વિશે.

ઘરમાં સુખ- શાંતિ જાળવવા માટે વાસ્તુ ટિપ્સઃ વાસ્તુ શાસ્ત્રમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અનુસરીને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે. ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક અથવા ॐ નું ચિહ્ન બનાવવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ- શાંતિ બનાવી રાખવા માટે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં પાણીથી ભરેલો કળશ રાખવો શુભ માનવામાં આવે છે. ઘરમાં સુખ- સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીના વાસ માટે તમે ઘરના ડ્રોઈંગ રૂમમાં તાજા ફૂલોનો ગુલદસ્તો રાખી શકો છો. તેમ કરવાથી ઘરની શાંતિમાં ભંગ થતો નથી.

વાસ્તુ નિષ્ણાતો અનુસાર બેડરૂમમાં ભગવાન અથવા ધાર્મિક ચિત્રો મૂકવાથી દુર રહો. તેમ કરવું શુભ માનવામાં આવતું નથી. તેવું કરવાથી જીવનમાં શાંતિનો અંત આવે છે અને વ્યક્તિની સમસ્યાઓ વધતી જ જાય છે.

ઘરમાં બનેલા પૂજા સ્થળને લઈને પણ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. મંદિરની દિવાલ શૌચાલયની દિવાલ સાથે જોડાયેલી ના હોવી જોઈએ. જો તેવું થાય તો ઘરની શાંતિ જતી રહે છે અને માતા લક્ષ્મી પણ તેવા ઘરોમાં ક્યારેય વાસ નથી કરતા.

ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવી રાખવા માટે ઘરના કોઈપણ ખૂણે અંધારું ના રહેવા દો. દરેક ખૂણામાં દીવો અથવા બલ્બ ચાલુ રાખવાથી નકારાત્મકતાનો નાશ થાય છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)