હિંદુ ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ હોય છે. આ મહિનામાં દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં ધનના દેવી સાથે- સાથે શંખની પૂજા અને કેટલાક ઉપાયો ખુબ જ ચમત્કારી સાબિત થાય છે. માતાજીની પૂજામાં શંખ ખુબ જ પવિત્ર અને મંગળકારી માનવામાં આવે છે. શંખને લગભગ દરેક દેવી- દેવતાઓ હાથમાં ધારણ કરેલ છે. શાસ્ત્રોમાં વિષ્ણુ ભગવાનની પૂજા શંખનાદથી જ શરુ થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં પૂજાના સમયે નિયમિત રીતે શંખ વગાડવામાં આવે છે તે ઘરમાં ક્યારેય દુ:ખ, દરિદ્રતા અને વિઘ્નો નથી આવતા. માં લક્ષ્મીજીનો વાસ રહે છે. પૈસા અને ભોજનની કોઈ અછત નથી રહેતી. કહેવાય છે કે શંખને દેવી લક્ષ્મીજીનો ભાઈ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે શંખના આ ઉપાયોથી બધી સમસ્યાઓ કેવી રીતે દૂર થઈ શકે છે.
શંખથી જોડાયેલ ઉપાય: જો તમે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હોય તો કોઈ પણ પ્રકારના દેવાથી બચવા અને દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે દક્ષિણાવર્તી શંખને ઘરમાં વિધિ વિધાન સાથે સ્થાપિત કરો.નિયમિત રીતે પૂજા કરો. માનવામાં આવે છે કે જે ઘરમાં દક્ષિણ દિશામાં શંખ હોય છે ત્યાં હંમેશા દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે. સાથે જ જો તમે તેને તમારા કાર્યસ્થળ પર રાખશો તો પણ તમને શુભ પરિણામ મળશે.
જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે શંખનો અવાજ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં શંખ હોય છે તે ઘરમાં કોઈ ઉપરી અવરોધ કે ભૂત- પ્રેતનું આગમન નથી થતું. કહેવાય છે કે શંખ વગાડવાથી ગરીબી અને દુ:ખ દૂર થાય છે.
શંખ વિશે એવી માન્યતા છે કે જે શંખ વગાડે છે તેને લાંબુ આયુષ્ય અને સ્વાસ્થ્ય મળે છે. એવું પણ કહેવાય છે કે શંખ વગડવાથી વ્યક્તિના ફેફસાં મજબૂત થાય છે. એટલું જ નહીં ઘરમાં નિયમિત રીતે શંખનાદ કરવાથી ઘરની નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)