આ રાશિઓના લોકો માટે ભારે છે ૧૭ ઓગસ્ટ સુધીનો સમય, સમસપ્તક યોગ વધારશે તકલીફો

RELIGIOUS

સૂર્ય ગ્રહ ૧૬ જુલાઈએ કર્ક રાશિમાં પ્રવેશ કરી ચુકેલા છે અને સૂર્યના શત્રુ ગ્રહ શનિ મકર રાશિમાં છે. તેવામાં આ બન્ને ગ્રહ એકબીજાની આમનેસામને છે, જેનાથી સમસપ્તક યોગનું નિર્માણ થઇ રહ્યું છે. પિત- પુત્ર થયા પછી આ ગ્રહ અંદર અંદર શત્રુ ગ્રહ છે. શનિ અને સૂર્યના આ અશુભ યોગનો પ્રભાવ કઈ રાશિઓ પર ખાસ રૂપથી પડશે આવો જાણીએ.

અશુભ પ્રભાવની ચપેટમાં છે આ ચાર રાશિ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને સૂર્યના આમનેસામને આવવાના કારણે સંસપ્તક યોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ સમસપ્તક યોગ આ ચાર રાશિ માટે ખરાબ સમય હોઈ શકે છે. આ રાશિના લોકોએ ૧૭ ઓગસ્ટ સુધી સાવધાન રહેવાની જરૂર છે.

આ રાશિઓમાં મિથુન, સિંહ, ધન અને કુંભનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે સૂર્ય સિંહ રાશિના સ્વામી ગ્રહ છે અને શનિ કુંભ રાશિના સ્વામી ગ્રહ છે. આ દરમિયાન તેમણે ખાસ કાળજી લેવાની જરૂર છે.

તેનાથી આ રાશિઓ પર અસર થશે: આ અશુભ યોગને કારણે આ રાશિના લોકોને ઘણી બાબતોમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. તો ઘણી મોટી ડીલ્સ રદ પણ થઈ શકે છે. આ સમયે સમજી વિચારીને નિર્ણય લેવો.

નોકરીમાં મોટા લોકો સાથે કોઈ બાબતને લઈને વિવાદ થઈ શકે છે. નોકરી છોડવાની સ્થિતિ બની શકે છે. તેથી, આ સમય દરમિયાન તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખો. તમારા પોતાના વ્યવસાય સાથે કામ કરતા રહેવું વધુ સારું રહેશે.

આ દરમિયાન તમારે ધન હાનિ પણ સહન કરવી પડી શકે છે. રોકાણમાં નુકસાન થઈ શકે છે. તો કોઈ જૂના રોગ પણ સમસ્યા ઊભી કરી શકે છે. તેથી સાવચેત રહો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *