આ સંકેતો મળે તો સમજો થવાનો છે પૈસાનો વરસાદ.. પુરુષો- મહિલાઓમાં અલગ હોય છે મતલબ

શુકન શાસ્ત્રમાં હાથની ખંજવાળ વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કયા હાથમાં ખંજવાળ વ્યક્તિ માટે શુભ છે અને કયા હાથમાં અશુભ છે. ચાલો જાણીએ કે હાથની ખંજવાળ વ્યક્તિના નસીબ અને તેની આર્થિક સ્થિતિ પર કેવી અસર કરે છે. કહેવાય છે કે સૌથી મોટો રૂપિયો. આજના જમાનામાં પૈસાની જરૂર કોને નથી. લોકો દિવસ- રાત તેની પાછળ દોડતા હોય છે.

કેટલીકવાર સંપત્તિ મહેનતથી મળે છે જ્યારે ઘણા લોકો માટે નસીબ કામ કરે છે. તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા સંકેતોનો ઉલ્લેખ છે જે દર્શાવે છે કે વ્યક્તિ પાસે ક્યારે ધન આવવાનું છે અને ક્યારે નુકસાન થવાનું છે. તે સંકેતોમાં એક છે હાથમાં ખંજવાળ પરંતુ આ સંકેત સ્ત્રીઓ અને પુરુષોમાં અલગ- અલગ પરિણામો આપે છે.

જમણા હાથમાં ખંજવાળ આવે તો: ઘણીવાર તમે સાંભળ્યું જ હશે લોકો કહે છે કે જો કોઈ વ્યક્તિના જમણા હાથ અથવા જમણી બાજુ ખંજવાળ આવે છે તો તેની સંપત્તિ અને આવકને નુકસાન થાય છે પરંતુ સમુદ્ર શાસ્ત્રમાં તેનાથી તદ્દન વિરુદ્ધ લખ્યું છે. જમણા હાથમાં ખંજવાળ ધન આવવાનો સંકેત આપે છે. એટલા માટે તમારે ડરવાની નથી જરૂર.

ડાબા હાથમાં ખંજવાળનો અર્થ: કહેવાય છે કે જો કોઈ વ્યક્તિના ડાબા હાથમાં ખંજવાળ આવે છે તો તેની પાસે પૈસા આવવાના છે. તે નસીબદાર છે પરંતુ સમુદ્ર શાસ્ત્ર કહે છે કે ડાબી બાજુ કે હાથમાં ખંજવાળ આવવાથી ધનહાનિ થાય છે. એટલા માટે જ્યારે પણ તે ભાગમાં ખંજવાળ આવે ત્યારે સાવધાન થઈ જાવ.

હિન્દુ માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મીજીને ધન, સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. જ્યારે પણ ડાબા હાથ પર ખંજવાળ આવે છે ત્યારે લોકો વિચારે છે કે દેવી લક્ષ્મી ક્રોધિત થઈ ગયા છે અને હવે ધનનું નુકસાન થશે પરંતુ સ્ત્રીઓના કિસ્સામાં ખંજવાળનો અર્થ અલગ છે.

જો કોઈ સ્ત્રીની ડાબી હથેળીમાં ખંજવાળ આવે છે તો તેનો અર્થ એ છે કે તેનું નસીબ વધવાનું છે પરંતુ જો જમણી હથેળીમાં ખંજવાળ આવે છે તો તેને ધનનું નુકસાન થવાનો સંકેત માનવામાં આવે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)