વિજયાદશમી ૨૦૨૧ શુભ મુહુર્ત: દશેરાના દિવસે કરવામાં આવે છે આ દસ કામ

નવરાત્રિ પછી દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યા બાદ લોકોએ વિજય ઉત્સવ ઉજવ્યો હતો. આ દિવસે શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. આવો આપણે જાણીએ આ દિવસનો શુભ મુહુર્ત અને કરવાના આવતા મહત્વપૂર્ણ કામ. દશમ તિથિ: આ તારીખ ગુરુવાર, 14 ઓક્ટોબર, 2021 ના ​​રોજ સાંજે 06.52 થી શરૂ થશે અને શુક્રવાર, 15 ઓક્ટોબર, 2021 ના ​​રોજ સાંજે 06.02 વાગ્યે સમાપ્ત થશે. તેથી, વિજય દશમીનો તહેવાર શુક્રવાર, 15 ઓક્ટોબર 2021 ના ​​રોજ ઉજવવામાં આવશે.

પૂજાનો સમય: અભિજિત મુહૂર્ત – સવારે 11.43 થી બપોરે 12.30 સુધી. વિજય મુહૂર્ત – બપોરે 2:01 pm 53 સેકન્ડથી બપોરે 2:47 કલાક ને 55 સેકન્ડ સુધી. બપોરના મુહૂર્ત: બપોરે 1:15 કલાક ને 51 સેકંડથી 3:33 કલાકઅને 57 સેકન્ડ સુધી. અમૃત કાલ મુહૂર્ત – સાંજે 6.44 થી રાત્રે 8.27 સુધી. દિવસના ચોઘડિયા: શુભ – 07:53 AM થી 09:20 AM સુધી, અમૃત (વર વેલા) – 09:20 AM થી 10:46 AM, શુભ – 12:12 PM થી 13:38 PM સુધી.

રાત્રિ ચોઘડિયા: લાભ (કાલ રાત્રી) – 21:05 PM થી 22:39 PM, શુભ – 00:12 AM થી 01:46 AM સુધી, અમૃત – 01:46 AM થી 03:20 AM. નોંધ: સ્થાનિક પંચાંગ મુજબ તારીખો અને મુહૂર્તના સમયમાં થોડો ઘણો ફેરફાર જોવા મળતો રહે છે. 1. દશેરાના દિવસે રાત્રે રાવણ દહન કરવામાં આવે છે. 2. આ દિવસે શસ્ત્રોની પૂજાનું ખાસ મહત્વ રહે છે. 3. આ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનેદુર્ગાએ અને શ્રી રામે રાવણને માર્યા હતા.

4. આ દિવસે શમી વૃક્ષની પૂજા કરવાની અને તેના પાંદડા આપવાની પરંપરા છે. 5. આ દિવસે કેટલાક નવા કામ કરવા, ખરીદી કરવાનો, નવા કપડા પહેરવાનો રિવાજ છે. 6. આ દિવસે બાળકોને દશેરી આપવામાં આવે છે, એટલે કે તેમને દશેરીના રૂપમાં ઈનામ, રૂપિયા કે મીઠાઈ આપવામાં આવે છે. 7. આ દિવસે પરિવાર અને સંબંધોમાં તમામ વડીલોના પગને સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવાતા હોય છે.

8. આ દિવસે અનેક પ્રકારની વાનગીઓ બનાવીને ગિલકીના ભજીયા તળીને ખાવાની પરંપરા પણ છે. 9. આ દિવસે ફટાકડા પણ ફોડવામાં આવે છે. 10. દશેરાના દિવસે પરસ્પર દુશ્મની ભૂલીને લોકો એકબીજાને ગળે લગાવે છે.