ભગવાન સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. તે દર મહિને રાશિ બદલે છે. ૧૫ માર્ચે, તેમણે ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૧૪ એપ્રિલ સુધી ત્યાં જ રોકાશે. તેમનું આ ગોચર તમામ રાશિઓને અસર કરશે. તુલા રાશિ સહિત અન્ય ઘણી રાશિઓને આર્થિક મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, જ્યારે ત્રણ રાશિ પર સૂર્ય દેવની કૃપા રહેશે. આવો અમે તમને જણાવીએ કે તે કઈ રાશિઓ છે.
મિથુન: મિથુન રાશિના જાતકોની કુંડળીમાં ત્રીજા ભાવના સ્વામી સૂર્ય છે તે હિંમત, ભાઈ -બહેન અને કમ્યુનિકેશનને કંટ્રોલ કરે છે. સૂર્યના ગોચરને કારણે તમે તમારી શક્યતાઓને સારી બનાવી વધારે આગળ લઇ જઈ શકશો. જો કે, કેટલીક બાબતોમાં તમારે પૈસા ખર્ચ થઈ શકે છે. જો તમે કોઈ કામ હાથમાં લીધું હોય તો તેને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.
આ સમયગાળા દરમિયાન વ્યાપારીઓ પરેશાન થઈ શકે છે. મિથુન રાશિના લોકોએ કોઈપણ પ્રકારનો કરાર કે સહયોગ લેવાનું ટાળવું જોઈએ. આ સમયગાળામાં જીવન રોમેન્ટિક રહેશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોની કુંડળીમાં સૂર્ય દસમાં ભાવના સ્વામી રહેશે. આ સમયગાળા દરમિયાન તમે અટવાયેલા પૈસા પાછા મેળવી શકો છો. વ્યવસાયની દૃષ્ટિએ આ સમય સારો છે. જે લોકો ઘરથી દૂર કામ કરી રહ્યા છે, તેમને ઘરની નજીક તક મળી શકે છે. આ સમય દરમિયાન જીવનમાં ઘણા ફેરફારો થશે. આ સમયગાળા દરમિયાન શાંત રહેવાનો પ્રયાસ કરો અને કંઈપણ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો.
કુંભ: કુંભ રાશિના લોકોના સાતમાં ભાવમાં સૂર્યનો પ્રભાવ રહેશે. જે તમને શ્રેષ્ઠ પરિણામો આપશે. તમારા સ્વભાવ અને વ્યક્તિત્વમાં પરિવર્તન આવશે. તમે વધુ ઉર્જા અને સહનશક્તિ અનુભવશો. બિઝનેસ પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે, જે થોડા શાંત રહેવાથી ઉકેલાઈ જશે.
આ દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમે ત્વચા અથવા પેટની સમસ્યાઓથી પરેશાન રહી શકો છો. જો કોઈ યાત્રા નક્કી છે, તો તેમાંથી તમને ઇચ્છિત પરિણામ નહીં મળે. અહીં તહીં જવાનું ટાળો સિવાય કે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય. ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો, નહીં તો તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)