વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ૪ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણના બરાબર ૧૫ દિવસ પછી કારતક માસની અમાવાસ્યાના દિવસે સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ આંશિક રીતે દેખાશે, વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકામાં દેખાશે. જો કે તે ભારતમાં નહીં દેખાય, તેથી જ તેનો સુતક કાળ ભારતમાં માન્ય રહેશે નહીં.
સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ, આ બંને ઘટનાઓને જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે ગ્રહણના કારણે તમામ રાશિઓ પ્રભાવિત થાય છે. નિષ્ણાતોના મતે સૂર્યગ્રહણના કારણે કેટલીક રાશિના લોકોને શુભ પરિણામો મળી શકે છે, ત્યારે જાણો કઈ છે તે રાશિઓ:
વૃષભઃ આ રાશિના લોકો માટે સૂર્યગ્રહણ ખૂબ જ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના લોકોને ઘણું માન- સન્માન મળશે અને સાથે જ તેમને નોકરીમાં પ્રમોશન પણ મળશે. આ રાશિના જે લોકો વેપારી છે, તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે. વૃષભ રાશિના લોકો પોતાની કારકિર્દીમાં સારી સ્થિતિ પ્રાપ્ત કરશે.
મિથુનઃ મિથુન રાશિના જાતકો માટે સૂર્યગ્રહણનો સમય ખૂબ જ શુભ રહેશે. આ દરમિયાન તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. આ સમય દરમિયાન તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તો વેપારમાં પણ ઘણો એવો ધન લાભ થઇ શકે છે અને ફાયદાની સ્થિતિ બની શકે છે.
સિંહ: સૂર્ય ગ્રહણ સિંહ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે. આ દરમિયાન તમારા બધા અટકેલા કામ પૂર્ણ થઇ જશે. તો બીજીતરફ કોર્ટ કચેરીમાં લાંબા સમયથી પેન્ડિંગ કેસમાં પણ તમને લાભ મળશે.
કન્યા: કન્યા રાશિના જાતકો માટે પણ સૂર્ય ગ્રહણ ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના લોકોની હિંમત અને શક્તિમાં વધારો થશે. સૂર્યગ્રહણના કારણે તમને દરેક કામોમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે.
મકરઃ મકર રાશિના જાતકોને સૂર્યગ્રહણના કારણે વેપારમાં ઘણી પ્રગતિ મળશે. તેમજ નોકરી કરતા લોકોને તેમની કારકિર્દીમાં નવી તકો મળી શકે છે. મકર રાશિના લોકોની આવકમાં પણ વધારો થશે. જો કે મકર રાશિના લોકોએ રોકાણના મામલામાં સાવધાન રહેવાની જરૂર છે.