ગ્રહો અવારનવાર ગોચર કરતા રહે છે, જેના કારણે દરેક વ્યક્તિ પ્રભાવિત થાય છે. આ રાશિ પરિવર્તનથી વિવિધ રાજયોગોનું પણ નિર્માણ થાય છે. આ બધા પૃથ્વી અને વ્યક્તિના જીવનને અસર કરે છે. લગભગ ૭૦૦ વર્ષ પછી પાંચ રાજયોગનો અદ્ભુત સમન્વય થઈ રહ્યો છે.
આ યોગો છે- કેદાર, માલવ્ય, મહાભાગ્ય, હંસ અને ચતુષ્ચક્ર. 28 માર્ચે આ મહાન સંયોગ બનશે. આ રાજયોગોની અસર તમામ રાશિઓ પર જોવા મળશે પરંતુ ચાર એવી રાશિ છે જેમને મોજ રહેવાની છે.
મિથુનઃ મિથુન રાશિના જાતકોને આ પાંચ રાજયોગનું પરિણામ એક સાથે મળશે. જે લોકોને નોકરી નથી મળી રહી, તેઓને નોકરી મળશે. આ સિવાય આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. ઓફિસમાં નવી જવાબદારીઓ મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. પારિવારિક જીવનમાં પણ ખુશીઓ આવશે.
કર્કઃ હંસ અને માલવ્ય રાજયોગની રચના કર્ક રાશિના લોકો માટે શુભ સાબિત થશે. તમને તમારા કરિયરમાં નવી તકો તો મળશે જ, પરંતુ ભાગ્ય પણ તમારો ઘણો સાથ આપશે. જે લોકો બેરોજગાર છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે. વેપારીઓ માટે પણ આ સમયગાળો ફળદાયી સાબિત થશે. રોકાણ સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ પણ મળી શકે છે. સમાજમાં તમારી કીર્તિ વધશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો શુભ રહેશે.
કન્યાઃ આ પાંચ રાજયોગોનું નિર્માણ કન્યા રાશિના જાતકો ચાંદી ચાંદી કરાવશે. તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે અને તમને તમારા જીવનસાથીનો સહયોગ પણ મળશે. પાર્ટનરને પ્રમોશન મળી શકે છે. કોઈની સાથે ભાગીદારીમાં કામ કરવાનું ટાળો. વેપાર સંબંધિત કોઈ સોદો થઈ શકે છે. જેઓ અવિવાહિત છે તેમના માટે સંબંધ આવી શકે છે.
મીનઃ આ રાજયોગ તમારા માટે વરદાન સમાન છે. માલવ્ય અને હંસ રાજ યોગના કારણે મીન રાશિના લોકો માટે સારા દિવસો આવશે. તેમના અટકેલા કામોમાં ઝડપ આવશે. કાર્યસ્થળ પર નોકરી કરતા લોકોની પ્રશંસા થશે. આત્મવિશ્વાસ વધશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. આકસ્મિક ધન પ્રાપ્તિની પણ શક્યતાઓ છે. વેપારમાં પ્રગતિ થઈ શકે છે.