વૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં બુધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે. બુધાદિત્ય રાજયોગને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ હોય છે, તે વ્યક્તિને સમાજમાં અપાર સન્માન અને પ્રતિષ્ઠા મળે છે. તેને રાજાની જેમ સુખ, સંપત્તિ અને કીર્તિ મળે છે.
૧૫ મેના રોજ સૂર્ય વૃષભ રાશિમાં ગોચર કરશે અને ત્યાર બાદ ૭ જૂને બુધ ગોચર કરશે. આ કારણે વૃષભ રાશિમાં શુક્રની રાશિમાં બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનશે. તેનાથી ત્રણ રાશિના લોકોને ઘણો ફાયદો થશે.
બુધાદિત્ય રાજયોગ આ રાશિના લોકોની કિસ્મત ઉજ્જવળ કરશે- વૃષભઃ વૃષભ રાશિના લોકો બુધાદિત્ય રાજયોગ બનવાથી ભારે નફો કમાશે. આ લોકોની કાર્યશૈલીમાં સુધારો જોવા મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. મોટા લોકો સાથે સંપર્ક થશે, જેનાથી તમને ઘણો ફાયદો થશે. ધન લાભ થશે. તમારી સ્થિતિ અને આવકમાં વધારો થશે. અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. જીવનસાથી સાથે સારું બનશે.
સિંહ: બુધાદિત્ય રાજયોગ સિંહ રાશિના લોકોને પણ લાભ આપશે. નોકરી- ધંધામાં પ્રગતિ થશે. નફામાં વધારો થશે. કાર્યસ્થળ પર સિનીયર- જુનિયરની મદદ મળશે. તમારું પ્રદર્શન સારું રહેશે. નવી નોકરી મળી શકે છે. બેરોજગારોને રોજગાર મળી શકે છે. કરિયરમાં તમને સુવર્ણ તક મળી શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને લાભ મળી શકે છે.
કર્કઃ બુધાદિત્ય રાજયોગ કર્ક રાશિના લોકોની આવકમાં વધારો કરશે. પગાર વધશે. નવા સ્ત્રોતોથી પણ પૈસા મળશે. વેપારમાં નફો વધશે. જૂના રોકાણથી ફાયદો થશે. તમારી પ્રગતિનો માર્ગ બનશે. ઘરમાં ધાર્મિક કે શુભ કાર્યનું આયોજન થઈ શકે છે.
સમાજમાં તમારું અને તમારા પરિવારનું માન- સન્માન વધશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)