ન્યાયના દેવતા કહેવાતા શનિદેવે ૧૫ મી માર્ચે શતભિષા નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કર્યો છે. તેઓ હવે આ નક્ષત્રમાં ૧૭ ઓક્ટોબર સુધી રહેશે. જ્યોતિષીઓના મતે શનિદેવ શતભિષા નક્ષત્રમાં રહેવાથી પાંચ રાશિના લોકોના જીવનમાં ભારે ખુશીઓ લાવવાના છે. આ લોકો શાહી જીવન જીવશે અને જીવનની તમામ ખુશહાલી અને સુખ- સમૃદ્ધિ- ઐશ્વર્યનો આનંદ માણશે. તેમના ઘરમાં પૈસા અને સંપત્તિનો પ્રવાહ સતત રહેશે. આવો જાણીએ કઈ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ.
ધનઃ આ રાશિના લોકોના કાર્યક્ષેત્રમાં વધારો થઈ શકે છે. તેમને ઈન્ક્રીમેન્ટ અને કોઈ નવી જવાબદારી મળી શકે છે. પ્રમોશનની તકો પણ બનશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાની તક મળી શકે છે. ઘરમાં નવું વાહન આવી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.
કર્કઃ નોકરી- ધંધામાં પ્રગતિ મળી શકે છે. કોઈ પ્રોપર્ટીથી ધન લાભ થઈ શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. ભાઈ- બહેનોનો સાથ મળી શકે છે. આવકના સ્ત્રોત વધશે. પૈતૃક સંપત્તિ મળી શકે છે. મિત્રની મદદ મળી શકે છે.
મેષઃ તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમને પિતાનો સહયોગ મળશે. તમારા ખર્ચાઓ મર્યાદિત રહેશે અને તમારી આવક પહેલા કરતા વધુ વધશે. તમારા ઉછીના પૈસા પાછા મળી શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે. શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળી શકે છે.
સિંહઃ તમારા કાર્યસ્થળની સ્થિતિ સુધરશે અને તમે કામમાં અનુભવ કરશો. તમને બીજી જગ્યાએ ટ્રાન્સફર પણ મળી શકે છે. સંશોધન માટે વિદેશ પ્રવાસની તકો છે. પરિવારમાં પહેલાથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. તમારી આવક પહેલા કરતા વધુ વધી શકે છે.
મિથુનઃ તમારા ઘરમાં કોઈપણ શુભ કે માંગલિક કાર્ય થઈ શકે છે. કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થઈ શકે છે. તમારા વ્યવસાયની સ્થિતિમાં સુધારો થશે. સામાજિક કાર્યોમાં રસ વધશે. ધન મળવાની શક્યતાઓ બની રહી છે. બૌદ્ધિક કાર્યના સારા પરિણામો જોવા મળી શકે છે.