મંગળદેવના આવતા ત્રણ દીવસમાં કેટલીક રાશિઓને વિશેષ આશીર્વાદ મળવાના છે. મંગળદેવ ૧૬ ઓક્ટોબર ૨૦૨૨ રવિવારના રોજ બપોરે ૧૨:૦૪ કલાકે વૃષભ રાશિથી મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. મંગળદેવ ૧૩ નવેમ્બર સુધી મિથુન રાશિમાં રહેશે. જ્યાં સુધી મંગળદેવ મિથુન રાશિમાં રહેશે ત્યાં સુધી કેટલીક રાશિઓને લાભે લાભ થશે. જાણો કઈ રાશિના જાતકો માટે આવતા ત્રણ દિવસ વરદાન સમાન સાબિત થશે.
મેષ: મેષ રાશિના ત્રીજા ભાવમાં મંગળ ગ્રહનું ગોચર થયું હતું. નોકરી કરતા જાતકો માટે પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે. ભાઈ- બહેનોનો સહયોગ મળશે.
સિંહ: સિંહ રાશિના અગિયારમાં ભાવમાં મંગળ ગ્રહે પ્રવેશ કર્યો છે. તે દરમિયાન તમારું આર્થિક પક્ષ મજબૂત થશે. રોકાણ કરવાથી લાભ મળશે. કોઈ મિલકત- સંપત્તિ ખરીદવાના યોગ બની રહ્યા છે. વાહન અને મકાન સુખ પણ મળી શકે છે.
કન્યા: કન્યા રાશિના દસમાં ભાવમાં મંગળ ગ્રહે ગોચર કર્યું છે. આવતા ત્રણ દિવસોમાં તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. નોકરીમાં શુભ પરિણામો મળશે. સમાજમાં માન- સન્માન વધશે.
મકર: મકર રાશિના છટ્ઠા ભાવમાં મંગળ ગ્રહે પ્રવેશ કર્યો છે. આવતા ત્રણ દિવસોમાં તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. વ્યાપારીઓ માટે સમય ખુબ જ શુભ સાબિત થશે.
મીન: મીન રાશિના ચોથા ભાવમાં મંગળ ગ્રહનો પ્રવેશ થયો છે. તે દરમિયાન તમને આકસ્મિક ધન લાભ થશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન મળી શકે છે. નોકરીની તપાસ કરી રહ્યા જાતકોને સફળતા મળશે. વાદ- વિવાદથી બચવું. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)