શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેઓ લોકોને તેમના કાર્યોના આધારે શુભ કે અશુભ ફળ આપે છે. તેવી સ્થિતિમાં દરેક વ્યક્તિ શનિદેવને પ્રસન્ન કરવામાં લાગેલ રહે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવાર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તે દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થાય છે.
દુ:ખ દૂર કરવાના શનિવારના ઉપાયઃ દરેક મનુષ્યના જીવનમાં દુ:ખ હોય છે. જો કે, ઘણી વખત આ દુ:ખ એક પછી એક આવતા જ રહે છે. સુખનો કોઈ પત્તો નથી મળતો. જો તમારા જીવનમાં પણ ઘણી સમસ્યાઓ છે, તો કેટલાક ખાસ ઉપાય કરીને તમે તમારા દુ:ખનો અંત લાવી શકો છો. આ માટે તમારે શનિવારે કેટલાક ખાસ ઉપાય કરીને શનિદેવને પ્રસન્ન કરવા જોઈએ.
શનિવારે શનિ મંદિરની મુલાકાત લો. અહીં શનિદેવની સામે સરસવ અને કાળા તલના તેલના બે અલગ- અલગ દીવા પ્રગટાવો. તેનાથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. દીવો પ્રગટાવ્યા પછી મંદિરમાં બેસીને શનિ ચાલીસાનો પાઠ કરો. જો તમે કોઈ શનિવારે મંદિરમાં જઈ શકતા નથી, તો તમે આ ઉપાય તમારા ઘરમાં શનિદેવની મૂર્તિની સામે કરી શકો છો. તેનાથી તમારા દરેક દુ:ખ અને પીડાનો અંત આવશે. આ ઉપાય તમારે ઓછામાં ઓછા સાત શનિવાર સુધી કરવાનો છે.
નસીબ ચમકાવવા માટે શનિવારના ઉપાયઃ ભાગ્ય એવી વસ્તુ છે કે જો તે સારું હોય તો ભિખારી પણ રાજા બની જાય છે. બીજી તરફ દુર્ભાગ્ય થાય તો કરોડપતિ પણ રસ્તા પર આવી જાય છે. જો તમે તમારા ભાગ્યના સિતારા ચમકાવવા માંગતા હોવ તો શનિવારે કેટલાક ખાસ ઉપાય કરો. આ ઉપાયો કર્યા પછી તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જશે. શનિદેવ તમારા પર પોતાની કૃપા બનાવી રાખશે.
શનિવારે વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ. જો તમે ઈચ્છો તો મંગળવારે પણ આ કામ કરી શકો છો. મંગળવાર અને શનિવારે શનિદેવની સાથે હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ. હનુમાનજી પ્રસન્ન હશે તો શનિદેવ આપોઆપ પ્રસન્ન થશે. કારણ કે એક વખત હનુમાનજીએ શનિદેવને રાવણના ચંગુલમાંથી મુક્ત કરાવ્યા હતા.
આ સિવાય તમે શનિવારે પિંજરાની સાથે પોપટ પણ લાવી શકો છો. આ પછી, પોપટને આ પિંજરામાંથી મુક્ત કરો. કહેવાય છે કે આ પોપટ જેટલું દૂર ઉડે છે તેટલું તમારું નસીબ સારું રહેશે. આ સાથે જ શનિવારે કાગડાને પાણી આપીને તમે તમારા દુર્ભાગ્યથી પણ છુટકારો મેળવી શકો છો.
આ વાતોનું રાખો ધ્યાનઃ શનિવારના દિવસે માંસ, આલ્કોહોલ કે કોઈ પણ પ્રકારનાનશો ના કરવો જોઈએ. આ સાથે શનિવારે વાળ અને નખ કાપવાનું પણ ટાળવું જોઈએ. આ દિવસે વડીલનું દિલ દુભાવવું પણ યોગ્ય નથી માનવામાં આવતું.