હિંદુ ધર્મ હોય, જ્યોતિષ શાસ્ત્ર હોય, વાસ્તુ શાસ્ત્ર હોય કે ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈ હોય, તેમાં કેટલીક વસ્તુઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ સૌભાગ્ય લાવે છે. વાતાવરણને પણ સકારાત્મક બનાવે છે. આ વસ્તુઓમાં કેટલાક ખાસ છોડ પણ સામેલ છે. તે છોડ સુખ અને સમૃદ્ધિ લાવે છે. જે ઘરોમાં આ છોડ હોય છે ત્યાં પૈસા અને ભોજનની ક્યારેય કમી નથી થતી.
આ છોડ લગાવવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અઢળક ધન વરસાવે છે. ભગવાન ગણેશને દુબ ખૂબ પ્રિય હોય છે. ઘરમાં દુબનો છોડ લગાવવાથી સંતાન પ્રાપ્તિના યોગ બને છે. દરરોજ દુબને જળ ચઢાવો અને ગણપતિને અર્પણ કરો, તમારું ભાગ્ય ખુલી જશે.
વાસ્તુ શાસ્ત્રમાં સ્નેક પ્લાન્ટને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ છોડ પ્રગતિના રસ્તા ખોલે છે. તેને સ્ટડી અથવા લિવિંગ રૂમમાં રાખવો ખૂબ જ સારો રહે છે. આ છોડ ઘરમાં સુખ- સમૃદ્ધિ પણ લાવે છે.
ઘરમાં નારિયેળનું ઝાડ લગાવવું ખૂબ જ શુભ હોય છે. તે ઘરના લોકોને રાત-દિવસ ચાર ગણી પ્રગતિ કરાવે છે. જો તમે પણ કામકાજમાં સફળતા મેળવવા માંગો છો તો આ વૃક્ષ લગાવો.
વાસ્તુ શાસ્ત્રમાં લાજવંતી (છુઈમુઈ)ના છોડને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ છોડને ઘરમાં વાવીને રોજ પાણી ચઢાવવાથી કુંડળીમાં રાહુ દોષ દૂર થાય છે. રાહુ જીવનમાં ઘણી સમસ્યાઓનું કારણ બને છે. જેમ કે આર્થિક નુકસાન, પ્રગતિમાં અવરોધ, રોગો, સંબંધોમાં સમસ્યાઓ વગેરે.
કેળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય હોય છે અને તેનો સંબંધ ગુરુ ગ્રહ સાથે હોય છે. જ્યોતિષમાં ગુરુને શુભ ગ્રહ માનવામાં આવે છે. જો ગુરુ શુભ હોય તો વ્યક્તિનું ભાગ્ય બળવાન રહે છે. તેના દરેક કામ સરળતાથી થઈ જાય છે.
લક્ષ્મણનો છોડ દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે, આ છોડને ઘરમાં લગાવવાથી ઘરમાં ધનની દેવી લક્ષ્મીનો નિવાસ થાય છે. ઘર ધનથી ભરેલું રહે છે. આ છોડને ઘરની પૂર્વ કે પૂર્વ- ઉત્તર દિશામાં લગાવવું શુભ રહેતું હોય છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)