રાહુ સાથે શનિની ખતરનાખ યુતિ, સાત મહિના ભયંકર કષ્ટ ભોગવશે ચાર રાશિના જાતકો

RELIGIOUS

શનિએ રાહુના નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કરી લીધો છે. આ નક્ષત્ર કુંભ રાશિ હેઠળ આવે છે, જેના સ્વામી શનિદેવ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શતભિષા નક્ષત્રના પ્રથમ અને અંતિમ ચરણના સ્વામી ગુરુ છે અને બીજા અને ત્રીજા તબક્કાના સ્વામી શનિદેવ છે. જે લોકો શતભિષા નક્ષત્રના પ્રથમ ચરણમાં જન્મ્યા હોય તેઓ કુશળ વક્તા અને જ્ઞાની હોય છે.

બીજા નક્ષત્રમાં જન્મેલ વ્યક્તિ ધનવાન અને મહેનતુ હોય છે. ત્રીજા નક્ષત્રમાં જન્મેલ વ્યક્તિને પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ માનવામાં આવે છે. જ્યારે ચોથા તબક્કામાં જન્મેલ વ્યક્તિ ખુશ હોય છે અને તેઓ સંતાનયુક્ત હોય છે.

શનિદેવ આ નક્ષત્રના પ્રથમ ચરણમાં ૧૭ ઓક્ટોબર સુધી રહેશે, જેના સ્વામી ગુરુ છે. આ દરમિયાન ઘણી રાશિના લોકોએ પરેશાનીઓનો સામનો કરવો પડશે. હવે જાણી લો કે આ નક્ષત્રના પ્રથમ ચરણમાં કઈ રાશિના લોકોએ દુઃખનો સામનો કરવો પડશે.

કર્કઃ શનિના આ ગોચરને કારણે કર્ક રાશિના લોકોનું બજેટ બગડશે. ખર્ચાઓ બેકાબૂ બની જશે, જેના કારણે તમે માનસિક રીતે પરેશાન રહેશો. વિરોધીઓ અને ગુપ્ત દુશ્મનો પણ તમને મુશ્કેલીમાં મૂકશે. તેવી વસ્તુઓના આરોપો પણ હોઈ શકે છે, જેની સાથે તમારે કંઈ લેવાદેવા પણ નહીં હોય. ખાવા- પીવામાં ધ્યાન રાખવું અને નશીલી વસ્તુઓથી અંતર રાખવું.

વૃશ્ચિકઃ- શનિના આ ગોચરને કારણે વૃશ્ચિક રાશિના જાતકોને મિલકત સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો બ્લડ પ્રેશર કે અન્ય કોઈ રક્ત સંબંધિત રોગ હોય તો ટેસ્ટ કરાવતા રહો. ખોટા માધ્યમથી પૈસા કમાતા લોકો ઉઘાડા પડી શકે છે. ખર્ચ પણ વધારે થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યને લઈને મુશ્કેલીમાં રહેશો.

કુંભ: ઓક્ટોબર સુધીનો સમય કુંભ રાશિના લોકો માટે પરેશાનીભર્યો રહેશે. તમે તેવી સ્થિતિમાં પણ ફસાઈ શકો છો, જ્યાં નિર્ણય લેવો તમારા માટે મુશ્કેલ હશે. તમારા નજીકના લોકો પણ વિચિત્ર વર્તન કરતા જોવા મળશે. ખર્ચ પણ વધારે થઈ શકે છે. સારવાર પાછળ ખર્ચ પણ વધશે. જીવનસાથી સાથે વિવાદ કે બોલાચાલી થઈ શકે છે. ચાલી રહેલા કામ પણ અટકી શકે છે.

મીન: શનિનું આ ગોચર મીન રાશિ માટે ઉથલપાથલ સર્જશે. ઓક્ટોબર સુધી તમારે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ સમય દરમિયાન તમારો ખર્ચ વધુ થઈ શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. તમારી વસ્તુઓનું ધ્યાન રાખો. ચોરી કે નુકસાનીનો ભય રહેશે. જોખમ લેવાનું ટાળો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *