વૈદિક જ્યોતિષમાં શુક્રને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. તેમને ધન, વૈભવ અને ઐશ્વર્યના કારક કહેવામાં આવે છે. શુક્રની ગતિ ઝડપી માનવામાં આવે છે. તેમને એક રાશિથી બીજી રાશિમાં જવા માટે ૩૦ થી ૩૬ દિવસનો સમય લાગે છે. શુક્રનું ગોચર ખૂબ મહત્વ રાખે છે.
૩૦ મેના રોજ સાંજે ૦૭:૩૯ કલાકે તેઓ કર્ક રાશિમાં ગોચર કરી ચુક્યા. આ રાશિ પરિવર્તનની સાથે જ કર્ક રાશિમાં ધન રાજયોગ બની ગયો છે. તેવામાં જે રાશિમાં શુક્ર મજબૂત સ્થિતિમાં હશે તેમને આ ધન રાજયોગનો ફાયદો મળશે.
મેષઃ મેષ રાશિના જાતકો માટે રાજયોગ સાનુકૂળ પરિણામ આપશે. શુક્રનું ગોચર થતાં જ આ રાશિના લોકોનું નસીબ સાથ આપવાનું શરૂ કરી દેશે. પરિવારમાં સુખ અને શાંતિની સ્થાપના થશે. નોકરીમાં પ્રમોશન મળવાના ચાન્સ રહેશે.
મિથુનઃ શુક્રના ગોચરથી જે ધન રાજયોગ બનશે, મિથુન રાશિના જાતકોને તેનાથી ઘણો ફાયદો થશે. ક્યાંકથી અચાનક ધન પ્રાપ્ત થશે, જેના કારણે આર્થિક પક્ષ મજબૂત થશે. પૈતૃક સંપત્તિથી લાભ થવાની શક્યતાઓ રહેલી છે. વ્યાપારમાં ભાગીદાર સાથે સંબંધ મજબૂત રહેશે, જેનો ધંધામાં સકારાત્મક પ્રભાવ પડશે.
મકર: શુક્ર હંમેશાથી મકર રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં ગોચરથી બનેલો ધન રાજયોગ શુભ ફળ આપનાર સાબિત થશે. વિવાહિત જીવનમાં મધુર સંબંધો બનશે. વેપારીઓને ફાયદો થશે. નોકરી કરતા લોકો ઓફિસમાં સારું પ્રદર્શન કરી શકશે.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)