ત્રણ દિવસ પછી બનશે અતિ શુભ ‘લક્ષ્મી યોગ’, ચાર રાશિ પર આકાશથી સોનાનો વરસાદ થવાનો નક્કી

RELIGIOUS

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સમય સમય પર ગ્રહોની ગતિમાં ફેરફાર તમામ ૧૨ રાશિના જાતકોના જીવનને અસર કરે છે. તેવી જ રીતે આ મહિનાના અંતમાં ૩૦ મેના રોજ શુક્ર દેવ પણ પોતાની સ્થિતિ બદલવા જઈ રહ્યા છે.સાંજે ૦૭:૨૯ કલાકે શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે.

આ દરમિયાન મકર રાશિમાં લક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના લોકોને લક્ષ્મી યોગથી વિશેષ ધન પ્રાપ્ત થશે. બીજી તરફ ગ્રહના ગોચરથી અન્ય ઘણી રાશિઓને ફાયદો થવાનો છે. જાણો આ રાશિઓ વિશે.

મેષ: મેષ રાશિના જાતકોને શુક્ર ગોચરથી સાનુકૂળ પરિણામ મળશે. આ દરમિયાન તમે જમીન, વાહન કે મકાન વગેરે ખરીદી શકો છો. નોકરીમાં પ્રમોશન મળશે. એટલું જ નહીં આ લોકોનો પગાર પણ વધશે. જીવનમાં ખુશીઓ પાછી આવશે. વેપારી લોકો માટે પણ આ સમય સાનુકૂળ છે. મોટી ડીલ હાથ લાગી શકે છે.

મિથુનઃ આ ગોચરથી મિથુન રાશિના જાતકોને શુભ અને ધન લાભ બંને મળશે. પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સમય દરમિયાન પરિવારના કોઈ સભ્યના લગ્ન થઈ શકે છે. પ્રેમ સંબંધોને પરિવારના સભ્યોની મંજૂરી મળશે. આવકના સાધનોમાં વધારો થશે. તેવી સ્થિતિમાં ખર્ચ વધુ થશે અને બચત મુશ્કેલ રહેવાની છે.

કર્કઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૩૦ મેના રોજ શુક્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ રીતે લોકો તમારી તરફ આકર્ષિત થશે. આ સમયે તમારા વ્યક્તિત્વમાં સુધારો આવશે. નફો થશે અને નોકરી કરતા લોકોના પગારમાં વધારો થશે. વેપારમાં પણ લાભ થતો જણાય. જ્વેલર્સ માટે પણ આ સમય લાભદાયક છે.

મકરઃ શુક્રના ગોચરને કારણે આ રાશિમાં લક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે. તેવી સ્થિતિમાં આ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન બલ્લે બલ્લે થવાની છે.આ લોકો ધન લાભની સાથે- સાથે સંપત્તિના માલિક પણ બનશે. વૈવાહિક સુખ ચરમ પર રહેશે.

પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમી શકે છે. આ સમયે તમે નામ કમાશો અને ખ્યાતિ પણ વધશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)