આ ત્રણ ગ્રહોનો મહાસંગમ પલટી દેશે ત્રણ રાશિના નસીબ, ‘ત્રિગ્રહી યોગ’થી વરસશે અગણિત રૂપિયો

RELIGIOUS

ન્યાયના દેવતા કહેવાતા શનિદેવે ૧૫ મી માર્ચે શતભિષા નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કર્યો છે. તે હવે આ નક્ષત્રમાં ૧૭ ઓક્ટોબર સુધી રહેશે. જ્યોતિષીઓના મતે શનિદેવ શતભિષા નક્ષત્રમાં રહેવાથી પાંચ રાશિના લોકોના જીવનમાં ભારે ખુશીઓ લાવવાના છે. આવા લોકો શાહી જીવન જીવશે અને જીવનની તમામ લક્ઝરીનો આનંદ માણશે. તેમના ઘરમાં પૈસા અને સંપત્તિનો પ્રવાહ સતત રહેશે. આવો જાણીએ કઈ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ.

ધનઃ આ રાશિના લોકોના કાર્યક્ષેત્રમાં ઘણી મોટી વૃદ્ધિ થઈ શકે છે. તેમને ઈન્ક્રીમેન્ટ અને કોઈ નવી જવાબદારી મળી શકે છે. પ્રમોશનની તકો પણ બનશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાની તક મળી શકે છે. ઘરમાં નવું વાહન આવી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.

કર્કઃ નોકરી- ધંધામાં પ્રગતિ મળી શકે છે. કોઈ પ્રોપર્ટીથી ધન લાભ થઈ શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. ભાઈ- બહેનોનો સાથ મળી શકે છે. આવકના સ્ત્રોત વધશે. પૈતૃક સંપત્તિ મળી શકે છે. કોઈ મિત્રની મદદ પ્રાપ્ત થઇ શકે છે.

મેષઃ તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમને પિતાનો સહયોગ મળશે. તમારા ખર્ચાઓ મર્યાદિત રહેશે અને તમારી આવક પહેલા કરતા વધુ વધશે. તમારા ઉછીના લેવાના નીકળતા પૈસા પાછા મળી શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે. શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળી શકે છે.

સિંહઃ તમારા કાર્યસ્થળની સ્થિતિ સુધરશે અને તમે કામમાં અનુભવ કરશો. તમારી બીજી જગ્યાએ ટ્રાન્સફર પણ થઇ શકે છે. સંશોધન માટે વિદેશ પ્રવાસની તકો છે. પરિવારમાં પહેલાથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. તમારી આવક પહેલા કરતા વધુ વધી શકે છે.

મિથુનઃ તમારા ઘરમાં કોઈપણ શુભ કે માંગલિક કાર્ય થઈ શકે છે. કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થઈ શકે છે. તમારી વ્યવસાયિક સ્થિતિમાં સુધારો થશે. સામાજિક કાર્યોમાં રસ વધશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની સ્થિતિ બદલે છે ત્યારે તેની અસર તમામ ૧૨ રાશિના જીવન પર સ્પષ્ટપણે જોઈ શકાય છે.

તો અન્ય ગ્રહોની યુતિના કારણે ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે. જણાવી દઈએ કે ૧૫ માર્ચે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જ્યાં બુધ અને ગુરુ પહેલેથી જ બિરાજમાન છે. ત્રણેય ગ્રહો એકસાથે મીન રાશિમાં હોય ત્યારે શક્તિશાળી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ દરમિયાન તમને આકસ્મિક પૈસા અને માન- સન્માન મળી શકે છે.

મીન: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિમાં જ ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. તેવી સ્થિતિમાં આ રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ ફળદાયી સાબિત થવાનો છે, તમને જણાવી દઈએ કે આ રાશિના લગ્ન ભાવમાં આ યોગ બનવા જઈ રહ્યો છે. તેવામાં વ્યક્તિત્વમાં નીખર આવશે. આ સાથે વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ વધશે.

આ યોગની દ્રષ્ટિ તમારી કુંડળીના સાતમાં ભાવ પર પડવાની છે. તેવી સ્થિતિમાં જો તમે ભાગીદારીમાં કામ કરવાનું વિચારી રહ્યા છો, તો તે ફાયદાકારક રહેશે. ટૂંક સમયમાં તમને સફળતા મળશે. જીવનસાથીનો પણ સહયોગ મળશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

વૃશ્ચિક: આ રાશિના જાતકો માટે આ યોગ અનુકૂળ રહેશે. જણાવી દઈએ કે આ રાશિના પાંચમાં ભાવમાં આ યોગ બનવા જઈ રહ્યો છે, તેને સંતાન, પ્રગતિ, પ્રેમ-સંબંધ વગેરેનો ભાવ માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં તમને આકસ્મિક નાણાં મળી શકે છે.

આધ્યાત્મિકતા અને સંશોધનના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ સફળતા મળી શકે છે. શિક્ષણમાં પ્રગતિની તકો મળશે. સ્પર્ધામાં સફળતા મળશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *