વૈદિક શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે ત્યારે તેની અસર તમામ ૧૨ રાશિ પર પડે છે. બીજી તરફ, જો એકથી વધુ શક્તિશાળી ગ્રહો એક જ રાશિમાં ભેગા થયા હોય, તો તે અલગ બાબત છે. હવે ગ્રહોના રાજા સૂર્ય, રાજકુમાર બુધ અને દેવગુરુ બૃહસ્પતિ ૧૬ માર્ચ ૨૦૨૩ થી મીન રાશિમાં એકસાથે ભ્રમણ કરી રહ્યા છે.
આ ત્રણ શક્તિશાળી ગ્રહોના એકસાથે આવવાથી તમામ રાશિઓ પર સકારાત્મક અસર પડશે. ખાસ કરીને ત્રણ રાશિનું નસીબ ખુલવા જઈ રહ્યું છે. આવો જાણીએ કઈ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ.
વૃશ્ચિક: સૂર્ય, બુધ અને ગુરુનો આ સંયોજન તમારા માટે ઉત્તમ પરિણામો લાવશે. નોકરી- ધંધામાં પ્રગતિ થવાની શક્યતાઓ રહેલી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. સમાજમાં તમારું સન્માન વધશે. ક્યાંકથી અચાનક પૈસા મળવાની શક્યતાઓ રહેલી છે. તમારા રોકાણમાંથી તમને સારું વળતર મળશે.
મિથુન: બુધ તમારી કુંડળીમાં શુભ સ્થાનમાં હાજર છે. આ કારણે તમારા વ્યવસાયમાં જબરદસ્ત નફો થવાની શક્યતાઓ સર્જાઈ રહી છે. જેઓ જ્ઞાન-વિજ્ઞાન, શિક્ષણ, વકીલાત કે તબીબી વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે આવનારો સમય શુભ રહેવાનો છે. સરકારી નોકરી કરતા લોકો પ્રગતિ કરી શકે છે. તમને રોજગારની સારી તકો મળશે.
વૃષભ: આ રાશિના લોકો ખૂબ જ પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક કરશે, જેના કારણે તમને સારો લાભ મળવાની સંભાવના છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. તમને પૈતૃક સંપત્તિ મળી શકે છે અથવા કોઈ વાહન- સંપત્તિનું આગમન થઇ શકે છે. કાર્યસ્થળ પર તમને નવી જવાબદારી અથવા પ્રમોશન મળી શકે છે.