આપણે બધા જાણીએ છીએ કે શનિદેવ મનુષ્યને કર્મોના ફળ આપે છે. આ કારણથી તેમને ન્યાયાધીશ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેટલીક એવી રાશિઓ છે જેના પર શનિદેવ હંમેશા પોતાના આશીર્વાદ રાખે છે. આજે આ લેખમાં અમે તમને એવી જ કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ…
કુંભ: શનિદેવની બીજી સૌથી પ્રિય રાશિ કુંભ રાશિ છે. આ રાશિના જાતકોએ ક્યારેય કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડતી નથી. એટલા માટે કુંભ રાશિવાળા લોકો વધુ મહેનતુ હોય છે.
મકરઃ શનિદેવની કૃપાને કારણે મકર રાશિના લોકોને ક્યારેય પૈસાની તંગીનો સામનો નથી કરવો પડતો. આ રાશિ પણ શનિદેવની પ્રિય રાશિઓમાંથી જ એક રાશિ છે.
તુલાઃ તુલા રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેલી હોય છે. આ રાશિના લોકો પર શનિદેવ હંમેશા મહેરબાન રહેતા હોય છે. સાડાસાતીનો પ્રભાવઃ શનિદેવની કૃપા હોય તેવા લોકો પર શનિની સાડાસાતીની પણ કોઈ અસર થતી નથી હોતી.
શનિદેવઃ જો લોકોની કુંડળીમાં શનિદેવ યોગ્ય અથવા શુભ સ્થાનમાં સ્થિત હોય તો આવા લોકોને શુભ ફળ પ્રદાન કરે છે, તેવા લોકોનું ભાગ્ય ખૂબ જ સારું હોય છે. આ લોકોને તેમના જીવનમાં દરેક આરામ અને સુવિધા મળે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)