તિજોરી અને બેંક એકાઉન્ટ બન્નેને નોટોથી છલોછલ ભરી દેશે આંબાના પાંદડાનો આ મોટો ઉપાય

હિન્દુ ધર્મમાં આંબાના પાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પાનનો ઉપયોગ કોઈપણ શુભ કાર્યમાં કરવામાં આવે છે. જ્યોતિષમાં આંબાના ઝાડને મંગળના કારક જણાવેલા છે. એટલા માટે તેના પાનનો શુભ કાર્યમાં ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં આંબાના પાન સંબંધિત કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી વ્યક્તિની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ચાલો જાણીએ કેરીના પાનથી કરવામાં આવતા કેટલાક જ્યોતિષીય ઉપાયો વિશે.

સકારાત્મક ઉર્જા માટેઃ ઘરના મુખ્ય દ્વાર પર કેરીના પાન લટકાવવાથી ઘરમાં પ્રવેશનાર દરેક વ્યક્તિની સાથે સકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશ કરે છે. તેનાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે.

ઘરમાં સુખ- શાંતિ રહેશે: ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનને એક નારાછડીમાં બાંધીને લગાવવાથી સમસ્યાઓનો અંત થઇ જાય છે. ઘરમાં સુખ શાંતિનો નિવાસ થાય છે

ઘરમાં ધનની નહીં થાય કમી: શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશની આસપાસ આંબાના પાન રાખવાથી અને મંદિરને આંબાના પાનથી શણગારવાથી ઘરમાં ધનની કમી નહીં રહે અને આશીર્વાદ રહેશે.

સુખ- સમૃદ્ધિ માટેઃ ઘરમાં સુખ- સમૃદ્ધિ માટે આંબાના પાનને પાણીમાં ભરી રાખો. આ પછી વિધિ- વિધાન પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો. સફળતા માટેઃ જો તમને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળી રહી હોય તો શનિવારે આંબાના ઝાડની પૂજા કરો. તેનાથી તમને સફળતા મળવા લાગશે.

શનિની બુરી નજરથી બચવા: જો ચંદ્ર શનિ અથવા રાહુના અશુભ પ્રભાવથી પરેશાન હોવ તો આંબાના ઝાડ પર એક ચમચી કાળા તલની સાથે એક ચમચી દૂધ ચઢાવો. તમને તેનો લાભ મળશે.

હનુમાનજીના આશીર્વાદઃ આંબાના ઝાડના પાન પર ચંદનથી જય શ્રી રામ લખીને દરરોજ હનુમાન મંદિરમાં અર્પણ કરવાથી હનુમાનજીના આશીર્વાદ મળે છે અને દરેક સંકટ ટળી જાય છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)