હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, અઠવાડિયાનો પહેલો દિવસ સોમવાર હોય કે અંતિમ દિવસ રવિવાર હોય, ખાસ કરીને બધા દિવસો માટે કોઈને કોઈ ભગવાનને યાદ કરવામાં આવે છે. તેમનું સ્મરણ કરવામાં આવે છે અને આની સાથે આરાધના કરવામાં આવે છે. તો શું તમે જાણો છો કે ગોકુલવાસી, હરે-મુરારી, શ્રી કૃષ્ણ ભગવાનને બુધવારે યાદ કરવામાં આવે છે?બુધ ગ્રહને સમર્પિત: બુધવારે બ્રહ્માંડના બુધ ગ્રહને સમર્પિત કરવામાં છે. આ દિવસે શ્રી કૃષ્ણ અને સાથે વિઠ્ઠલ જે શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પર ખાસ કરીને માતા તુલસીના લીલા પાન ચઢાવવાની પ્રથા લોકોમાં પ્રચલિત છે.
ઉપવાસ રાખવાની પ્રથા: આ દિવસે લોકો ભગવાન શ્રીકૃષ્ણને ઘર અને પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરે છે અને તેમને પ્રસન્ન કરવા માટે એક દિવસનો ઉપવાસ પણ રાખે છે. આ ઉપવાસ પતિ અને પત્ની બંને દ્વારા કરવામાં આવે છે. આ ઉપવાસ કરનાર વ્યક્તિએ દિવસમાં માત્ર એકવાર જ ભોજન ખાવાનું હોય છે અને તે બપોરે જ હોય છે. બુધવારે લીલો રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપવાસ કુટુંબમાં જ માત્ર સુખ લાવતું નથી, પરંતુ પતિ-પત્નીના લગ્ન જીવનમાં પણ ફાયદાકારક સાબિત થાય છે.
ઉપવાસના સમયે લોકો સાંજે બુધ વ્રત કથાનું શ્રવણ પણ કરે છે. એવું કહેવામાં આવે છે કે બુધવારે ઉપવાસ કરવાથી પરિવારમાં પ્રેમ જાળવવાની સાથે બાળકોના શિક્ષણ પર પણ સારી અસર પડે છે. તેથી, જો તમે શિક્ષણ ક્ષેત્રે પણ કંઈક સારું કરવાનું વિચારી રહ્યા છો, તો બુધવાર તમારા માટે શ્રેષ્ઠ દિવસ સાબિત થાય છે.અગત્ય બુધવારનું છે: ઘણા ધર્મોમાં, બુધવારનો ઉપયોગ કોઈ ચોક્કસ કાર્યને પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. જો તમે કોઈ નવો ધંધો સ્થાપિત કરવા જઇ રહ્યા છો અથવા નવા ઘરમાં પ્રવેશવાનું વિચારી રહ્યા છો, તો ભગવાનનું નામ લો અને બુધવારે આ કાર્ય પૂર્ણ કરો. તમારું દરેક કાર્ય સફળ થશે.