આ પાંચ વસ્તુ ઘરમાં રાખવાથી આવે છે બેડલક, બરબાદ થતા પહેલા નાખી દો બહાર

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના નિર્માણથી લઈને રૂમની સજાવટ સુધીના વાસ્તુ નિયમો આપવામાં આવેલા છે. માનવીની સુખ- સમૃદ્ધિ સાથે તેમનો સીધો સંબંધ હોવાનું માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવી અશુભ હોય છે. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવતી હોય છે.

તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે. તૂટેલી મૂર્તિ: ઘરમાં તૂટેલી કાચની વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે. આ સિવાય ઘરમાં ભગવાનની કોઈપણ તુટેલી મૂર્તિ ના હોવી જોઈએ.

યુદ્ધના ચિત્રો: વાસ્તુ અનુસાર મહાભારત, રામાયણ કે અન્ય કોઈપણ પ્રકારના યુદ્ધની તસવીરો ઘરમાં ના રાખવી જોઈએ. વાસ્તવમાં આવી તસવીરો ઘરમાં રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર તાલમેલ સારો નથી રહેતો.

દાનવ કે રાક્ષસનું ચિત્રઃ વાસ્તુ અનુસાર ઘરમાં લાકડા કે કોઈપણ ધાતુની બનેલી કોઈપણ દાનવ કે રાક્ષસની તસવીર કે મૂર્તિ ના હોવી જોઈએ. વાસ્તુ નિષ્ણાતોના મતે ઘરમાં સિંહ, રીંછ, વાઘ, વરુ જેવા જંગલી પ્રાણીઓની તસવીરો પણ ના હોવી જોઈએ. કાંટાળો છોડ: વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કાંટાવાળો છોડ ના રાખવો જોઈએ. જોકે ગુલાબનો છોડ વાવી શકાય છે.

તાજમહેલની તસવીર કે પ્રતિમા: વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં તાજમહેલ સાથે સંબંધિત કોઈ શોપીસ કે તસવીરો ના રાખવી જોઈએ. વાસ્તવમાં તે એક કબર છે. જે મૃત્યુ અથવા નિષ્ક્રિયતાનું પ્રતીક માનવામાં આવે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)